News of Tuesday, 5th June 2018
વહેલા ચોમાસાના આગમનથી કૃષિ વાયદામાં વધી વેચવાલી
રાજકોટ, તા.૫ : દેશમાં ચોમાસાના વહેલા આગમનથી કૃષિ વાયદામાં વેચાવલી વધી છે. ગવારસીડ અને ગવારગમ સહિતમા વેચવાલીનો માહોલ જોવાયો હતો એરંડા,સોયાબીન,ચણા ધાણા સહિતના કોમિડિટીમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. ગૌરસિદ અને ગવારગમ વાયદામાં મંદીની સરકીટ લાગી હતી. ગવાર ગમ વાયદો ઘટીને ૭૮૦૦ની સપતિએ સરાયો હતો.
બીજીતરફ કપાસિયા ખોળમાં તેજી જોવાઈ હતી અને રૂ માં ફોરેન વાયદો દ્યટતા ભાવ દબાયા હતા. અલબત્ત નિકાસ વધવાના અહેવાલે ઉપલી સર્કિટ લાગી હતી. તેમાં હવે ઘટાડો થયો હતો અને ભાવમાં ઊંચા મથાળેથી દબાણ જોવાઈ રહ્યું છે.
(10:12 am IST)