Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ ૮૦૦૦ કરોડ બજારમાંથી કાઢયા

નવી દિલ્હી, તા.૨૪ : વિદેશી રોકાણકારોએ એપ્રિલમાં ભારતીય બજારમાંથી ૮૦૦૦ કરોડની રકમ ઉપાડી હતી. હાલમાં ચાલતી વેપાર વાટાઘાટ અને બોન્ડ યીલ્ડમાં મજબૂતાઈને લઈ જોવા મળતી વોલેટાલિટીને કારણે રૂપિયા કાઢયાનુ મનાય છે. આ પહેલા ફેબ્રુઆરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ ભારતીય બજારોમાંથીથી ૧૧,૬૭૪ કરોડ રૂપિયા નીકાળ્યા હતા.

ડિપોઝિટરીના છેલ્લા આંકડા મુજબ એફપીઆઇએ ઇકિવટાંથી ૪,૧૮૧ કરોડ રૂપિયા અને ડેટ માર્કેટમાંથી ૩,૫૮૬ કરોડ રૂપિયાની રકમ બેથી દસ એપ્રિલ દરમિયાન નીકાળી હતી.

(10:00 am IST)