Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મકરસંક્રાતિથી ગુવાર વાયદામાં ઓપશન શરૃઃ દોઢ કલાક ખુલશે

રાજકોટ તા.૧૧ : એગ્રી કોમોડિટીમાં દેશનું સૌથી મોટું એકસેન્જ એનસીડીઈએકસ મકરસંક્રાંતિના દિવસે ગુવાર વાયદામાં ઓપ્શન શરૂ કરવા જઈ રહ્યું છે. ૧૪ જાન્યુઆરીએ રવિવારના દિવસે લોન્ચિંગ માટે એકસેન્જ દોઢ કાલાક માટે ખુલશે. રવિવારે સવારે ૧૦ વાગ્યાથી ૧૧:૩૦ સુધી ગુવાર ઓપ્શનમાં ટ્રેડિંગ થઈ શકશે. આ દરમિયાન ગુવારસીડ વાયદા પણ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે.

 

(10:49 am IST)