Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઈન્ડિગોના ચાર નવા રૂટ શરુ :આવતા મહિને 24 નવી ફ્લાઈટની શરૂઆત કરશે

અમદાવાદ-ભુવનેશ્વર,હૈદરાબાદ-વારાણસી,સહીત અમદાવાદ-કોલકાતા,અમદાવાદ-જયપુર ફ્લાઇટ શરુ કરાશે

નવી દિલ્હી:દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ ચાર નવા રૂટ પર તેની સેવા શરૂ કરી છે તેમજ અન્ય માર્ગો પર તેની ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સે જણાવ્યું હતું કે, કંપની ૧ સપ્ટેમ્બરથી કુલ ૨૪ જેટલી નવી ફ્લાઈટ્સની શરૂઆત કરી રહી છે, જેમાં અમદાવાદ-ભુવનેશ્વર, અમદાવાદ-વારાણસી, હૈદરાબાદ-પટના અને કોલકત્તા, સુરતના માર્ગો પર તે પ્રથમ વખત તેની સુવિધા શરૂ કરશે.

  આ ઉપરાંત અગરતલા-ગુવાહાટી , હૈદરાબાદ-ગુવાહાટી અને કોલકત્તા-નાગપુરના માર્ગો પર દૈનિક ફ્લાઈટ્સની સંખ્યામાં એકથી વધારીને બે કરવામાં આવશે. અમદાવાદ-કોલકત્તા , અમદાવાદ-જયપુર, અને હૈદરાબાદ-રાયપુર માર્ગો પર ત્રીજી, હૈદરાબાદ-ભુવનેશ્વર માર્ગ પર ચૌથી અને અમદાવાદ-હૈદરાબાદ માર્ગ પર પાંચમી વખત ફ્લાઈટ શરૂ કરશે. જ્યારે હૈદરાબાદ-કોલકત્તા વચ્ચે સાતમી વખત ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

(7:56 pm IST)