એક જ દિવસે શરૂ થશે કપિલ અને સુનિલના કોમેડી શો
કોમેડી કિંગ કપિલ શર્મા ટુંક સમયમાં જ નવા શો સાથે કમબેક કરવાનો છે. તો સામે તેનો જુનો મિત્ર સુનિલ ગ્રોવર પણ કાનપુર વાલે ખુરાનાઝ નામના શો સાથે ટીવી પરદે આવી રહ્યો છે. કપિલ અને સુનિલના શોના પ્રોમો એક જ દિવસે રિલીઝ થયા હતાં. કપિલ અને સુનિલ એમ બંનેના શો એક દિવસે ૧૫મી ડિસેમ્બરથી અલગ-અલગ ચેનલ પર એક જ સમયે શરૂ થઇ રહ્યા છે. તે જોતા ટીઆરપી માટે મહાસંગ્રામ શરૂ થશે. કાનપુર વાલે ખુરાનાઝ શોની શરૂઆત રણવીરસિંહ અને રોહિત શેટ્ટી ફિલ્મ સિમ્બાના પ્રમોશન સાથે કરવાના છે. તો કપિલના શોમાં પહેલા ગેસ્ટ તરીકે સલમાન ખાન આવશે.
સલમાન પોતે આ શોનો પ્રોડ્યુસર પણ છે. તે કપિલ અને સુનિલને ફરીથી સાથે લાવવા ઇચ્છતો હતો. પણ સુનિલ અલગ જ શો લાવ્યો છે. ત્યારે કોમેડીના બે મહારાથીની વોરમાં કોણ મેદાન મારશે તે સમય આવ્યે ખબર પડશે. પણ દર્શકોને ડબલ કોમેડીની મજા મળવાની છે એ વાત પાક્કી છે.