ફિલ્મ જગત
News of Thursday, 31st May 2018

કોમેડી-ડ્રામા ફિલ્મ મળતાં આલિયા ભટ્ટ ઉત્સાહિત

આલિયા ભટ્ટની મેઘના ગુલઝાર નિર્દેશીત ફિલ્મ રાઝી સો કરોડની કલબમાં પહોંચી જતાં સમગ્ર ટીમ ખુશ છે. આલિયા હવે અશ્વિની ઐયર તિવારીની કોમેડી ડ્રામા ફિલ્મ કરવાની છે. આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થશે. નિખીલ મલ્હોત્રાની સાથે મળીને આ ફિલ્મનું લેખન અશ્વિનીના પતિ અને દંગલના લેખક-નિર્દેશક નિતેશ તિવારીએ કર્યુ છે. ફિલ્મનું નામ હજુનક્કી થયું નથી. આલિયાએ કહ્યું હતું કે અશ્વિનીએ મને ખુબ મજેદાર કન્સેપ્ટ આપ્યો છે અને હું તેની સાથે કામ કરવા તૈયાર છું. તે ખુબ સારી નિર્દેશક છે. હું ઉત્સાહિત છું કે મને હવે ગંભીર પ્રકારના રોલમાંથી આઝાદી મળી છે અને અલગ કરવાની તક મળી છે. આ પ્રોજેકટનું કામ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

(10:23 am IST)