આવા પાત્રો મને ગમે છેઃ અદનાન
સુપરહિટ તુર્કી ડ્રામા ૧૦૦૧ નાઇટ્સને હિન્દી રિમેક તરીકે સોની ટીવી પર કથા અનકહી નામની સિરીયલથી દર્શાવવામાં આવે છે. આ શોમાં અદિતી દેવ શર્મા કથાના રોલમાં અને અદનાન ખાન વિઆનના રોલમાં છે. આ એક અલગ જ પ્રેમ કહાની છે. કથા અને વિઆન બંને એવા સંજોગોમાંથી પસાર થયા છે જેને કદી ભુલી શકાય તેમ નથી. અભિનેતા અદનાન ખાન કહે છે પુરૂષો વિશે હમેંશા એવો પુર્વાગ્રહ હોય છે કે તેને મજબૂત રહેવાનું હોય છે, નબળાઇઓને છતી કરવાની હોતી નથી. વિઆન સાથે પણ આવું થયું છે. તેની અંદરની લાગણીઓ કદી બહાર આવી શકી નથી. અદનાન કહે છે આ પાત્ર ભજવવું એક અનેરો અનુભવ છે. કારણ કે પાત્રની માંગ મુજબ ખુબ ઉંડી લાગણીઓ દર્શાવવી જરૂરી છે. વિઆનના પાત્રમાં અનેક વળાંકો છે. આ પ્રકારના ગંભીર પાત્રો મને વધુ ગમે છે, હું તેના તરફ હમેંશા આકર્ષિત થયો છું. આ પડકારરૂપ પણ છે.