News of Wednesday, 31st January 2018
આઇટી વિભાગની ઝપેટમાં આવ્યા કિંગ ખાન: અલીબાગ સ્થિત ફાર્મહાઉસ સીલ
મુંબઈ: બોલીવુડના કિંગ ખાન પર આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના અલીબાગમાં ખેતીની જમીન પર ગેરકાયદેસર બનાવેલ ફાર્મહાઉસને આઇટી વિભાગ સીલ કરી લીધું છે. બેનામી પ્રોપર્ટી ટેન્જકશન એક્ટ હેઠળ આ પગલાં લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ડિસેમ્બરમાં નોટિસ આપવામાં આવી હતી જેના 25 દિવસ પહેલા કેસ દાખલ થયો હતો.
આ નોટિસના અનુસાર શાહરુખ ખાન પર આરોપ લગાડવામાં આવ્યો છે કે તેમને અલીબાગમાં ખેતી કરવાની મંજૂરી લઈને જમીન લીધી હતી અને તેમાં ખેતી કરવાના બદલે તે જમીન પર આલીશાન બંગલો બનાવી દીધો હતો.આ વાતને લઈને આઇટી વિભાગે શાહરુખ ખાન પર કાર્યવાહી શરૂ કરી છે. આંટી વિભાગે અલીબાગનું ફાર્મહાઉસ પણ સીલ કરી દીધું છે.
(4:27 pm IST)