સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા દીપિકા- રણવીરસિંહ :બાપ્પાના લીધા આશીર્વાદ
દીપિકા લૉન્ગ ઇયરિંગ્સસ, લાલ ચૂડા, માથામાં સિંદૂર લગાવીને નવવધુના લુકમાં
મુંબઈ :દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. બંને મુંબઇના સિદ્ધીવિનાયક મંદિર પહોંચ્યા હતા.કપલ સાથે દીપિકા-રણવીરના પરિવારજનોએ પણ બાપ્પાના આશિર્વાદ લીધાં હતા .
તસવીરોમાં દીપવીર સાથે એક-બીજા સાથે પરફેક્ટ કપલ લાગી રહ્યાં હતા. બંને લાઇટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા. રણવીરે ક્રિમ કલરના કુર્તા-પાયજામાને જેકેટ સાથે ટીમઅપ કર્યુ હતુ તો દીપિકા લૉન્ગ ઇયરિંગ્સસ, લાલ ચૂડા, માથામાં સિંદૂર લગાવીને નવવધુના લુકમાં નજરે પડી હતી.
દીપિકા પાદુકોણ અને રણવીરના લગ્ન બે જુદા-જુદા રીતિ-રિવાજથી થયા છે. ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એક આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે.બોલુડની મસ્તાની અને સિંબાના લગ્નનું વધુ એક રિસેપ્શનનું આયોજન કરાયું હતું