બાળપણથી જ અભિનયનો શોખ હતો રાધા ભટ્ટને
તાજેતરમાં ઝી ફાઇવ પર આવેલી વેબ સિરીઝ સનફલાવરમાં મિસીસ આહુજાનું પાત્ર ભજવનારી અભિનેત્રી રાધા ભટ્ટ પોતાના આ રોલને કારણે સોશિયલ મિડીયા પર સતત પ્રસંશા મેળવી રહી છે. રાધા ભટ્ટે કહ્યું હતું કે ભવિષ્યમાં મારી ઇચ્છા સુપરહીરો પાત્ર ભજવવાની છે. રાધાને બાળપણથી જ અભિનય પ્રત્યે લાગણી હતી. તે કહે છે હું નાની હતી ત્યારે ઘરમાં લાઇટ જતી રહે તે વખતે ઘરના બધા લોકો અગાસી પર જતાં રહેતાં હતાં. ત્યારે પોતે મિણબત્તી પ્રગટાવીને અરીસા સામે ઉભી રહીને એકટીંગ કરતી હતી. હું એ વખતે પણ એવો અનુભવ કરતી હતી કે હું મોટી સેલિબ્રીટી છું અને હું કરણ જોહરના શોમાં બેઠી છુ઼. અલગ અલગ કલાકારોના ડાયલોગ્સ બોલ્યા કરતી હતી. આગળ જતાં પિતાનું નિધન થયું હતું એ પછી જવાબદારી મારા પર આવી ગઇ હતી. પહેલેથી જ અભિનયનું સપનું જોયું હતું અને તેમાં જ આગળ વધી સફળતા મેળવી હતી.