રણવીર શોૈરીના અભિનયના થઇ રહ્યા છે વખાણ
સુશાંતસિંહ રાજપૂતના અણધાર્યા મૃત્યુ પછી બોલીવૂડમાં સગાવાદ-નેપોટિઝમ પર ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. આ મુદ્દાએ બોલીવૂડને બે ભાગમાં વહેંચી દીધુ હોય તેમ જણાય છે. બોલીવૂડમાં એક તરફ એવું કહેવાય છે કે મહેનતથી સફળતા મળે છે તો બીજી તરફ એવું કહેવાય છે કે ગોડફાધર હોય તો જ મદદ મળે છે. આ વચ્ચે રણવીર શોૈરીએ પોતાની સરનેમ બાબતે વાત કરી હતી. તેણે સોશિયલ મિડીયા પર ફેન્સ સાથે વાત કરતી વખતે આડકતરી રીતે કહ્યું હતું કે સરનેમને કારણે તેને સારુ કામ મળ્યું નથી. જો કે રણવીરની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'કડક'નો તેનો અભિનય સોૈને અત્યંત પસંદ પડ્યો છે. સતત તેના અભિનયના ચાહકો વખાણ કરી રહ્યા છે. એક ચાહકે તો લખ્યું હતું કે તમારી કડક સિરીઝ જોઇ, શું અદ્દભુત અભિનય કર્યો છે. પણ તમે કંજુસાઇ કેમ કરો છો? વધુ ફિલ્મો શા માટે નથી કરતાં? ત્યારે રણવીરે કહ્યું હતું કે કામ મળવું પણ જોઇએ ને, પ્રયત્ન ચાલુ છે. એક યુઝરે સરનેમ તો નડતી નથી ને? એવું પુછતાં તેણે કહ્યું હતું કે-સાચો જવાબ. રણવીરે કહ્યું હતું કે મેં એક એવોર્ડ ફંકશનમાં નેપોટિઝમનું ઉદાહરણ નજરે જોયુ હતુ.