અમિતાભ બચ્ચનની ફિલ્મ કાલીયા ની બનશે રીમેક
મુંબઈ: બચ્ચન ફરી રૂપેરી પડદે શહેનશાહ ની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. શાહનશાહના નિર્દેશક ટીનુ આનંદ તેને ફરીથી બનાવવાની વિચારણા કરી રહ્યા છે અને ફિલ્મના નિર્માતા આનંદ અને મલ્હોત્રા પણ હોઈ શકે છે.આ દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે અમિતાભની ફિલ્મનું રિમેક બનાવવામાં આવી રહ્યું છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ કાલીયા 1981 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મ કાલિયામાં અમિતાભ બચ્ચન સાથે પરવીન બોબી, અમજદ ખાન અને પ્રાણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.ફિલ્મના ડિરેક્ટર ટીનુ આનંદે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ફિલ્મની રિમેક પણ બનાવવામાં આવશે. ટીનુએ કહ્યું - ઘણાં ફિલ્મ દિગ્દર્શકોએ મને કહ્યું હતું કે મારે કાલિયાની રિમેક કરવી જોઈએ. પરંતુ મને ખાતરી નથી કે હું આ ફિલ્મની રિમેક બનાવીશ કે આ ફિલ્મના હક કોઈ બીજાને આપીશ. ઘણા દિગ્દર્શકો આ ફિલ્મ બનાવવામાં રસ દાખવી રહ્યા છે. ટીનુએ વધુમાં કહ્યું કે, કોરોના વાયરસ સમાપ્ત થતાં જ તે આ ફિલ્મ સાથે સંબંધિત કામમાં વ્યસ્ત થઈ જશે.