શ્રીરામ રાઘવન સાથે વધુ એક ફિલ્મ કરશે સૈફ
અભિનેતા સૈફ અલી ખાન હાલમાં અજય દેવગણ સાથે ફિલ્મ તાનાજીના શુટીંગમાં વ્યસ્ત છે. જેમાં તે નેગેટીવ રોલ નિભાવી રહ્યો છે. ફરી એક વખત સૈફ નિર્દેશક શ્રીરામ રાઘવન સાથે કામ કરવાનો છે. હાલમાં શ્રીરામ બે ફિલ્મોની સ્ક્રિપ્ટનું કામ કરી રહ્યા છે. આ પૈકી એક ફિલ્મ પરમવીર ચક્રથી સન્માનિત અરૂણ કેતરપાલના જિવન પર આધારીત છે. બીજી એક ફિલ્મ થ્રિલર છે. આ બંને ફિલ્મ માટે શ્રીરામ અને સૈફ અલી ખાન વચ્ચે વાતચીત થઇ છે. સૈફને બંને સ્ક્રિપ્ટ ગમી છે. શ્રીરામની ઇચ્છા લાંબા સમયથી ફરીવાર સૈફ સાથે કામ કરવાની હતી. અગાઉ આ બંનેએ 'એક હસીના થી' અને 'એજન્ટ વિનોદ' નામની ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. શ્રીરામ રાઘવની પાછલી ફિલ્મ અંધાધુન બોકસ ઓફિસ પર ખુબ સારી ચાલી હતી. સૈફની બાઝાર પણ ત્યારે જ રિલીઝ થઇ હતી. પણ તે ફલોપ નિવડી હતી.