ફિલ્મ જગત
News of Tuesday, 29th September 2020

મરિના ફેમ તમિલ અભિનેતા થનારાસસુએ કરી આત્મહત્યા

મુંબઈ: તમિલ અભિનેતા થેનનરાસુ, જે શિવકાર્તિકેયાન અભિનીત મરીનામાં કામ માટે જાણીતો હતો. કૌટુંબિક વિવાદના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેને પોતા ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થેનારાસૂએ ત્રણ વર્ષ પહેલા તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને બે વર્ષનો બાળક છે. તેને દારૂની લત હતી અને તેની પત્ની સાથે નિયમિત ઝઘડો થયો. “ત્યારે પત્ની સાથેની ભારે દલીલ બાદ થનાનરાસુ છતનાં પંખા સાથે લટકતા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો છે અને નજીકના થેનારાસૂના ઘરના લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તપાસ હાથ ધરી છે, ”

(5:38 pm IST)