મિલાપ ઝવેરીની ફિલ્મમાં ફરી એકવાર જોવા મળશે રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
મુંબઈ: લેખક નિર્દેશક મિલાપ ઝવેરી હાલ પોતાની હિટ ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. સાથોસાથ બીજી એક ફિલ્મની તૈયારી કરી રહ્યા છે જેમાં રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ચમકશે.૨૦૧૪માં આ બંને અભિનેતાએ મિલાપની એક વિલન કરી હતી જેનું નિર્દેશન મોહિત સૂરીએે કર્યુ ંહતું. એક વિલનની સિક્વલમાં આ બંને કલાકારો ઉપરાંત અર્જુન કપૂર ચમકવાનો છે એ સમાચાર અમે આ સ્થળેથી તમને આપી ગયા.આ દિશામાં લેટેસ્ટ માહિતી એેવી છે કે એક વિલનની સિક્વલ ઉપરાંત મિલાપ અન્ય એક સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છે જેમાં રિતેશ અને સિદ્ધાર્થ બંનેને રસ પડયો છે અને બંનેએ આ ફિલ્મ કરવાની તૈયારી દાખવી છે. જો કે આ સ્ક્રીપ્ટ અને એની સ્ટોરીલાઇન વિશે હાલ મિલાપનો સ્ટાફ ગુપ્તતા સેવે છે. જોવાનું એ છે કે કયો નિર્માતા આ ફિલ્મ બનાવે છે. મિલાપના દોસ્ત જેવા પ્રોડયુસર નિખિલ અડવાણી બનાવશે કે ટી સિરિઝના ભૂષણ કુમાર બનાવશે એ જોવાનું છે. આ બંનેએ સત્યમેવ જયતેની સિક્વલ બનાવવાની હા પાડી છે. મિલાપે માત્ર એટલો નિર્દેશ કર્યો હતો કે આ સ્ક્રીપ્ટ એક્શન કમ કોમેડી છે. અત્યાર અગાઉ એણે આપેલી બે ફિલ્મો જાને કહાં સે આયી હૈ અને મસ્તીઝાદેં બોક્સ ઑફિસ પર ઊંધે માથે પટકાઇ પડી હતી.