હું તકની રાહ નથી જોતોઃ પિયુષ મિશ્રા
અભિનેતા પિયુષ મિશ્રાની ઇન્ડસ્ટ્રીમાં અલગ જ ઓળખ છે. છેલ્લા કેટલાક સમયથી તે વેબ સિરીઝમાં વધુ જોવા મળે છે અને આ કારણે તેના ચાહકોની સંખ્યા પણ વધી ગઇ છે. પિયુષે કહ્યું હતું કે કલાકારોએ કદી પણ પોતાની પાસે કામ આવે એની રાહ જોવી ન જોઇએ પણ જાતે કામ શોધવું જોઇએ. પિયુષ આજે અલગ અલગ પ્લેટફોર્મ પર સક્રિય છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી નીકળ્યા પછી તેમણે દિલ્હીના થિએટરોમાં કામ કર્યુ હતું. એ પછી ગેંગ્સ ઓફ વાસેપુર, ગુલાલ, પિન્ક, અને હેપ્પી ફિર ભાગ જાયેગી જેવી ફિલ્મો કરી હતી. ં આ સિવાય તેમણે ‘કહકે લૂંગા' ‘બરગદ કે પેડોં' અને ‘દિલ હારા' જેવાં ગીતો પણ લખ્યાં હતાં. હાલમાં જ તેની વેબ-સિરીઝ ‘સોલ્ટ સિટી' રિલીઝ થઈ હતી. પિયુષ કહે છે મને કામ મળે છે એથી હું કામ કરું છું. આ કર્મયોગ છે. હું પરિણામની ચિંતા નથી કરતો. હું કદી પણ તક મારી પાસે આવે એની રાહ નથી જોતો. મારા માટે કામનો અભાવ નથી. હું જ્યારે ફિલ્મોમાં કામ ન કરતો હોઉં તો એ વખતે હું નાટકો, ગીતો લખું છું.