ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

મિમિક્રી આર્ટિસ્ટ ડૉક્ટર સંકેત ભોસલેને મળી મેં સંજય દત્તના રોલની તૈયારી કરી:રણબીર કપૂર

મુંબઈ:અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે સિનિયર અભિનેતા સંજય દત્તનો રોલ કરવા અગાઉ હું સંજય દત્તની અદ્દલ મિમિક્રી કરતા મિમિક્રી આર્ટિસ્ટ ડૉક્ટર સંકેત ભોસલેને મળ્યો હતો. 'સંજય દત્તનો રોલ કરવાનું મારા માટે ખરેખર ચેલેંજિંગ હતું. રોલ સહેલાઇથી કરી શકાય એવું નહોતું. જીવનના દરેક તબક્કે સંજયના વ્યક્તિત્વે નવા વળાંકો સર્જ્યા હતા. સમજવા માટે મેં સંકેત ભોસલેને મળીને ખૂબ બારીકાઇથી મિમિક્રીનો અભ્યાસ કર્યો હતો' એમ રણબીર કપૂરે કહ્યું હતું. જો કે ત્યારબાદ એને સમજાયું હતું કે એણે સંજય દત્તની મિમિક્રી કરવાની નથી, સંજય દત્તને પરદા પર જીવંત કરવાનો છે. ત્યારબાદ એણે જુદી દિશામાં મહેનત શરૃ કરી દીધી હતી. સુપરહિટ ફ્રેન્ચાઇઝી મુન્નાભાઇ સિરિઝના સર્જક રાજકુમાર હીરાણીએ સંજય દત્ત પૂણેની યરવડા જેલમાં હતો ત્યારથી ફિલ્મનંુ પ્લાનિંગ શરૃ કર્યું હતું. નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ સંજય દત્તના રોલ માટે રણવીર સિંઘને પસંદ કર્યો હતો પરંતુ રાજકુમાર હીરાણીએ રણભીર કપૂરને પસંદ કર્યો હતો. થોડું શૂટિંગ થઇ ગયા બાદ હીરાણીએ વિધુ વિનોદ ચોપરાને રશ પ્રિન્ટ દેખાડતાં વિધુએ રણબીરના વખાણ કર્યા હતા. સંજુ ફિલ્મ આજે ૨૯ જૂને દેશ વિદેશમાં રજૂ થઇ હતી. ફિલ્મમાં સુનીલ દત્તનો રોલ કરનારા સિનિયર અભિનેતા પરેશ રાવલે તો એટલી હદ સુધી કહ્યું હતું કે રોલ માટે રણબીર કપૂરે જે મહેનત કરી છે જોતાં ફિલ્મ સ્કૂલોનાં બાળકોને દેખાડવી જોઇએ.

(5:35 pm IST)