ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સંગીતકારો બદલાયા
મુંબઇ:મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી યશ રાજની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સંગીતકારો બદલાયા હોવાની જાણકારી મળી હતી.
અગાઉ આ ફિલ્મ સાથે શંકર અહેસાન, લોય સંગીતકારો તરીકે જોડાયેલા હતા. પરંતુ સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર કરાતાં આ ત્રિપુટીને લાગ્યું કે પોતે ફિલ્મ સર્જકોની અપેક્ષા મુજબનું કામ કદાચ નહીં કરી શકે એટલે એ લોકોએ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમના સ્થાને અજય અને અતુલ ગોગાવાલે આ ફિલ્મના સંગીતકાર બન્યા છે.ભારતમાં બ્રિટિશ રાજ સ્થપાઇ રહ્યું હતું ત્યારે એટલે કે આશરે ૧૮૩૯-૪૦ની આસપાસ દેશનાં કેટલાંક રાજ્યોમાં ઠગ ટોળીઓ હતી. જંગલ વાટે પસાર થઇ રહેલા મુસાફરોને ગીત સંગીતમાં ભોળવીને આ ઠગ ટોળીએ એક છેડે ગાંઠ મારેલા રેશમી રુમાલ દ્વારા મુસાફરોના ગળે ફાંસો આપીને મારી નાખતા હતા અને પછી મુસાફરોનો માલસામાન લૂંટી લેતા હતા. એવી કથા ધરાવતી આ ફિલ્મમાં હવે અજય અને અતુલ ગોગાવાલે સંગીત પીરસી રહ્યા છે. બ્રિટિશ લશ્કરના એક અધિકારી કર્નલ ફિલિપ મીડોઝ ટેલરના કન્ફેશન ઑફ અ ઠગ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે.