આઇફા એવોર્ડ માટે પર્ફોમ્સ નહીં કરે કાર્તિક આર્યન
મુંબઈ:અભિનેતા કાર્તિક આર્યન આઇફા એવોર્ડ સમારોહમાં પર્ફોર્મ નહીં કરી શકે એવી જાણકારી છેલ્લી મિનિટે મળી હતી. જૂનની ૨૪મીએ આઇફા એવોર્ડ સમારોહનો આરંભ થવાનો છે. આજે ૧૮મી તો થઇ ગઇ. કાર્તિકને થોડા મહિના પહેલાં શૂટિંગમાં ઇજા થઇ હતી. એ સમયે પેઇન કીલર દવાઓ લઇને એણે કામ પૂરું કર્યુ ંહતું. અને ત્યારબાદ એ પોતાની ઇજાને ભૂલી ગયો હતો. ગયા સપ્તાહે ફૂટબૉલની મેચ રમતાં રણબીર કપૂરની જેમ કાર્તિકને પણ એની જૂની ઇજાએ ઊથલો માર્યો હતો. એના જે સ્નાયુબંધન (લીગામેન્ટ ) ફાટી ગયા હતા એમાં ફરી અસહ્ય પીડા શરૃ થતાં કાર્તિકને ડૉક્ટરોએ આરામ કરવાની અને લીગામેન્ટ્સ ફરી વ્યવસ્થિત થઇ જાય ત્યાં સુધી કશાનો અતિરેક (એક્ઝર્શન ) નહીં કરવાની સલાહ આપી હતી. એણે તરત ફિઝિયોથેરપી ચાલુ કરી હતી પરંતુ હવે એ ડાન્સ આઇટમ કરી શકે એવી સ્થિતિમાં રહ્યો નહોતો. એટલે કાર્તિકે આઇફાના સંચાલકોને જાણ કરી દીધી હતી કે આઇફા એવોર્ડમાં હું હવે પર્ફોર્મ નહીં કરી શકું. યોગાનુયોગે પગમાં ઇજા થઇ એ બીજો કલાકાર ટોચનો અભિનેતા રણબીર કપૂર આ એવોર્ડ સમારોહનંું આ વખતે સંચાલન કરવાનો છે.