ફિલ્મ જગત
News of Wednesday, 28th October 2020

હું ટ્રોલર્સ પર વધારે ધ્યાન આપતો નથી: કપિલ શર્મા

મુંબઈ: હાસ્ય કલાકાર કપિલ શર્મા કહે છે કે તેઓ ટ્રોલ્સ પર વધારે ધ્યાન આપતા નથી અને પોતાના ટુચકાઓ દ્વારા દુનિયાને વધુ સારું સ્થાન બનાવવામાં વિશ્વાસ રાખે છે. હકીકતમાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર લોકોએ કપિલ પર ધ્યાન દોર્યું હતું કારણ કે તેમણે તેમના શોમાં દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.તે કેવી રીતે ટ્રોલિંગનો સામનો કરે છે? તેના જવાબમાં કપિલે આઈએએનએસને કહ્યું, "હું ફક્ત મારા ચાહકોને હસાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું અને હું મારા ટુચકાઓ દ્વારા વિશ્વને વધુ સારું સ્થાન બનાવવાનો વિશ્વાસ કરું છું. હું ટ્રોલ પર વધુ ધ્યાન આપતો નથી."કપિલ હાલમાં તેના હાલના તબક્કાની જોરદાર મજા લઇ રહ્યો છે. ગયા વર્ષે, તે એક પિતા બન્યો અને હવે તે ખાસ કરીને બાળકો માટેના એક શો સાથે સંકળાયેલ છે. કપિલ કહે છે કે, "હું મારી જાતને ખૂબ જ ધન્ય માનું છું. દરરોજ મને નવી ઓફર મળી રહી છે. પિતા બનતા પહેલા પણ મને બાળકો માટે કંઈક કરવાની ઇચ્છા હતી. આના પરિણામે 'ધ કપિલ શર્મા શો' આવ્યું છે.

(5:43 pm IST)