ફિલ્મ જગત
News of Wednesday, 28th October 2020

જોન-દિવ્યાની ફિલ્મનું લખનોૈમાં ધમધોકાર શુટીંગ

જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે-૨નું શુટીંગ લખનોૈમાં શરૂ થઇ ગયું છે. મિલાપ ઝવેરી નિર્દેશીત આ ફિલ્મમાં જોન સાથે દિવ્યાકુમાર ખોસલા હિરોઇન છે. પ્રારંભના દિવસોમાં મુખ્ય જોડી સાથે શુટીંગ કરાયું હતું. એ પછી હર્ષ છાબડા, ગોૈતમી કપૂર, શાદ રંધાવા, અનૂપ સોની, સાહિલ વેદ સહિતના સ્ટાર અને બીજા કલાકાર જોડાયા હતાં. મિલાપે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારના નિયમોનું પાલન કરીને અમે લખનોૈમાં મહેલ, કોલેજ સહિતના સ્થળો પર શુટીંગ કરી રહ્યા છીએ. લાઇવ સ્થાનોને સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા હતાં જેથી કરીને ભીડ ઘુસી ન શકે. લોકશેન પર માત્ર સ્ટાફ અને ક્રુ મેમ્બર્સને જ એન્ટ્રી હતી. લખનોૈના રસ્તાઓ ઉપર પણ એકશન દ્રશ્યોનું શુટીંગ કરવાનું હતું. આ જો કે આમ તો થોડુ જોખમી કામ હતું. પરંતુ  દર્શકોને મહામારીના સમયમાં મનોરંજન પુરૂ પાડવા નિર્માતા ભુષણ કુમારે આ જોખમ ઉઠાવ્યું છે. ફિલ્મ ૧૨ મે ૨૦૨૧ના રોજ રિલીઝ થશે

(10:55 am IST)