ફિલ્મ જગત
News of Monday, 28th May 2018

હેરાફેરી-૩નું કામ શરૂ

હેરાફેરી અને ફીર હેરાફેરી ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ બનાવવાની તૈયારી થઇ ચુકી છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીએ બે ફિલ્મો થકી લોકોને ખુબ હસાવ્યા હતાં. નિર્માતા ફિરોઝ એ. નડિયાદવાલા હવે આ સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવા તૈયાર છે. આ વર્ષના અંત સુધીમાં શુટીંગ શરૂ થઇ જશે અને ૨૦૧૯ના અંતમાં ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મના પ્રી-પ્રોડકશનનું કામ શરૂ થઇ ગયું છે. રિલીઝની તારીખ પણ નક્કી કરી લેવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન ઇન્દ્ર કુમાર કરશે. તેણે અગાઉ મસ્તી અને ધમાલ જેવી ફિલ્મો બનાવી છે. લેખક નિર્દેશક નિરજ વોરાના નિધન પછી હેરાફેરી-૩નું કામ ઇન્દ્રકુમારને સોંપાયું છે. ૨૦૦૦માં હેરાફેરી અને ૨૦૦૬માં ફિર હેરાફેરીએ સોૈના દિલ જીતી લીધા હતાં.

(9:02 am IST)