News of Friday, 28th January 2022
નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં વિન્ટેજ લુકમાં બનાવ્યો આલીશાન બંગલો: જેનું નામ તેના પિતાના નામ પર રાખ્યું
મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકીએ વર્ષોની મહેનત બાદ અભિનય ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. તે તેના દમદાર અભિનય માટે જાણીતો છે. તે ડાઉન ટુ અર્થ એક્ટર હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં કામમાંથી ફ્રી સમય મળતાં જ તે પોતાના વતન મુઝફ્ફરનગરના બુઢાના (ઉત્તર પ્રદેશ) જતો રહે છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ સપનાના શહેર મુંબઈમાં પોતાનો એક આલીશાન બંગલો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે તેણે તેનું નામ તેના પિતાના નામ પરથી નવાબ રાખ્યું છે. તેમના બંગલાની ડિઝાઇન બુઢાણામાં તેમના ઘરની ડિઝાઇનથી પ્રેરિત છે.
(5:17 pm IST)