આખુ વર્ષ સતત વ્યસ્ત રહેશે મનોજ
મનોજ બાજપેયીએ બોલીવૂડમાં અલગ ઓળખ ઉભી કરી છે. તેની પાસે હમેંશા નવા કામની લાઇન લાગેલી રહે છે. વર્ષ ૨૦૨૨માં મનોજ એટલો વ્યસ્ત છે કે તેણે આગામી વર્ષ સુધી બીજી કોઇ નવી સ્ક્રિપ્ટ વાંચશે નહિ કે નવું કામ હાથમાં નહિ લે તેવો નિર્ણય કર્યો છે. ૨૦૨૧માં મનોજે રામ રેડ્ડીની ફિલ્મ અને કાનુ બહલની થ્રિલર ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધું હતું. હવે તે આગામી ફિલ્મના કામમાં વ્યસ્ત થયો હતો. પણ કોરોનાને કારણે આ કામ રોકવું પડ્યું હતું. આ ફિલ્મનું શુટીંગ પત્યા પછી મનોજ બીજા કામ હાથ પર લેશે. તેણે કહ્યું હતું કે જે કામ હાથ પર છે એ એટલા બધા છે કે પુરા કર્યા સિવાય બીજા નવા કામ થઇ શકે તેમ નથી.
આ બધા કામ પુરા કરવામાં આખુ વર્ષ વીતી જાય તેમ છે. આ કારણે ૨૦૨૩ સુધી મારી પાસે નવી કહાની વાંચવાનો સમય નથી. કારણ કે મારી પાસે નવા કામ માટેની તારીખો જ નથી.