ફિલ્મ 'તાનાજી : ધ અનસંગ વોરિયર'ની 200 કરોડની કમાણી : સૈફ અલી ખાને કહ્યું અત્યાર સુધીના અભિનયનું શ્રેષ્ઠ પાત્ર
આવી રીતની પ્રેરણાદાયક અને મનોરંજક ફિલ્મનો ભાગ બનીને મને ખરેખર આનંદ છે.
મુંબઈ : સૈફ અલી ખાનની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ 'તાનાજી : ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફીસ પર ૨૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સતત ધમાલ મચાવી રહી છે. રિપોર્ટસ અનુસાર આવનારા સમયમાં આ ફિલ્મની કમાણી સતત વધી શકે છે.
પોતાની ફિલ્મની સફળતાને જોતા સૈફ અલી ખાને એક મોટું નિવેદન આપી પોતાની ખુશી જાહેર કરી છે. તેમનું કેહવું છે કે, આ પાત્ર અત્યાર સુધીના અભિનયનું શ્રેષ્ઠ પાત્ર છે.
સૈફ અલી ખાને આગળ જણાવ્યું છે કે, "આવી રીતની પ્રેરણાદાયક અને મનોરંજક ફિલ્મનો ભાગ બનીને મને ખરેખર આનંદ છે. આ પાત્ર માટે તમારો આભાર, જે મારુ અત્યાર સુધીના સૌથી શાનદાર પાત્રમાંથી એક બની રહ્યું છે. ઓમ રાઉત, કુમાર જી, એડીએફ ફિલ્મ્સ ઈશ્વર પર તમારી કૃપા બનાવી રાખે, તેની સાથે સુબેદાર માલુસરે અને છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં.