નવુ કરવા આ સારી તક હતીઃ અજયસિંહ
ટીવી પરદે અભિનેતા અજયસિંહ ચોૈધરી સિરીયલ સ્વર્ણ ઘરમાં અજીતનું પાત્ર ભજવી જાણીતો બન્યો છે. અજયસિંહ કહે છે મને આ શોની માત્ર કહાની જ નહિ તેનું ટાઇટલ પણ ખુબ ગમે છે. પહેલી વખત મેં ટાઇટલ સાંભળ્યું અને સ્વર્ણ ઘરનો અર્થ સમજ્યો ત્યારે જાણ્યું હતું કે આ શોની વાર્તા એક મહિલા અને તેના પ્રેમાળ પતિ દ્વારા બનાવાયેલા ઘરની છે. એ ઘર જ તેમના હૃદયની નજીક છે. આ ઘરમાં તેણે જીવનની ઘણી નવી શરૂઆતો કરી હોય છે. જ્યારે પણ આપણે ઘર બનાવવાનો વિચાર કરીએ ત્યારે પહેલો વિચાર એ જ આવે કે આખો પરિવાર એક જ છત નીચે આનંદથી રહે. બાળકો નાના હોય છે ત્યારે સ્વર્ણઘરની સ્થિતી સારી હોય છે. પણ જેમ જેમ તે મોટ થયા તેમ પ્રાથમિકતા બદલાતી ગઇ અને તેના કરણે સમસ્યાઓ ઉભી થવા માંડી. અજયસિંહ કહે છે મેં ભજવેલુ અજીતનું પાત્ર મારા દિલની નીકટ છે. હું હમેંશા આ પ્રકારનું પાત્ર ભજવવા ઇચ્છતો હતો. કંઇક નવું કરવા માટે આ મારા માટે સારી તકી હતી. સંપુર્ણ લાગણીઓ પર આધારીત આ શો સાથે એટલે જ દર્શકો જોડાયા છે.