લગ્ન પછી મહિલાઓનું જીવન સિમીત રહી જાય છેઃ શ્વરા ભાસ્કર
અભિનેત્રી શ્વરા ભસ્કર ફિલ્મી પરદે કામ કરવાની સાથે સોશિયલ મિડીયા પરની પોસ્ટને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં શ્વરા ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળી છે. તે કહે છે લગ્ન પછી ભારીતય મહિલાઓને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે તે આમાં દર્શાવાયું છે. મોટે ભાગે તો લગ્ન પછી મહિલાઓનું અસ્તિત્વ જ રહેતું નથી. તેમનું જીવન માત્ર પરિવાર સુધી જ સિમીત થઇ જાય છે. મારા માતા પ્રોફેસર હતાં. તેમની એક અલગ ઓળખ રહી છે. તેઓ સતત કામ કરતાં રહ્યા છે. તેમણે કારકિર્દીની સાથે પરિવારની જવાબદારી પણ સંભાળી છે. હું મુંબઇમાં એકલી રહુ છું અને માત્ર કારકિર્દી સંબંધીત જ કામ હોય છે. એ સિવાય મારી કોઇ જવાબદારી નથી. આમ છતાં હું સમયસર સેટ પર પહોંચી નથી. જહા ચાર યાર ફિલ્મથી સમજાયું કે કઇ રીતે મારી માતાએ જવાબદારી નિભાવી છે. આ ફિલ્મમાં પહેલી વખત નાના શહેરોમાં રહેતી લગ્નજીવન જીવતી મહિલાઓની રોડ ટ્રીપ દર્શાવાઇ છે.