ફિલ્મ જગત
News of Tuesday, 27th July 2021

ઇશાએ અમૃતાના પાત્ર માટે સામેથી ફોન કર્યો હતો

ગુજરાતી અભિનેત્રી ઇશા કંસારાને સ્ટાર પ્લસના નવા શો 'જિંદગી મેરે ઘર આના'માં મુખ્ય રોલ મળતાં તેની ખુશીનો પાર નથી. ઇશા આ શોમાં અમૃતાનું મુખ્ય પાત્ર ભજવી રહી છે. ઇશાએ કહ્યું હતું કે મને આ શોનું અમૃતાનું પાત્ર એટલુ બધુ ગમી ગયું હતું કે મેં પોતે જ ચેનલને ફોન કર્યુ હતો અને વિનંતી કરી હતી કે કંઇપણ કરીને મને અમૃતાનું પાત્ર આપજો, હું આ શો કરવા ખુબ જ ઉત્સુક છું. એ પછી મને આ પાત્ર મળ્યું હતું. મેં સાચ્ચે જ સામેથી ફોન કર્યો હતો. તેનું કારણ એટલુ જ છે કે અમૃતાનું પાત્ર મને દિલમાં વસી ગયું હતું. અમૃતાનું પાત્ર મારી અસલી જિંદગીમાં પણ એવું અસર કરી ગયું છે કે રીતસર હું એ પાત્રને જીવવા માંડી છું. અમૃતા મારી જિંદગીનું સોૈથી બેસ્ટ પાત્ર બની ગયું છે. ઇશાએ કારકિર્દીની શરૂઆત નાટકોથી કરી હતી. એ પછી અનેક ટીવી શો પણ કર્યા છે. પરંતુ જિંદગી મેરે ઘર આના શોનું પાત્ર તેને સોૈથી વધુ ગમ્યું છે. આ તેની પાંચમી સિરીયલ છે.

(10:11 am IST)