નસિબદાર છું, આવા શો મળે છેઃ વિશાલ કરવાલ
ટીવી અભિનેતા વિશાલ કરવાલ હાલમાં સોની સબના શો ધર્મયોધ્ધા ગરૂડમાં ભગવાન વિષ્ણુની ભુમિકામાં જોવા મળે છે. આ પહેલા તેણે પરમાવતાર શ્રીકૃષ્ણમાં પણ ભગવાન વિષ્ણુનો રોલ નિભાવ્યો હતો. ધર્મયોધ્ધા ગરૂડમાં ભગવાન વિષ્ણુના ભક્ત અને સારથી એવા ગરૂડની નિઃસ્વાર્થતા, સત્યનિષ્ઠા, આજ્ઞાપાલન અને બહાદુરી દેખાડવામાં આવે છે. વિશાલે કહ્યું હતું કે હું નસિબદાર છું કે આવા શો માટે ભગવાન કૃષ્ણ, રામ અથવા વિષ્ણુની ભુમિકા માટે મારો સંપર્ક કરવામાં આવે છે. હું મોટે ભાગે આવા પોૈરાણિક પાત્રો જ ભજવું છું. ગરૂડમાં નિર્માતાઓ ગ્રાફિક્સ અને વીએફએક્સનું પણ જબરદસ્ત સંયોજન કરી રહ્યા છે. આ કારણે બધુ જ અસલી લાગે છે. ગરૂડ પર આધારીત આ પહેલી સિરીયલ છે. આ કારણે હું તેમાં જોડાઇને વધુ ખુશ છું. મને લાગે છે ભગવાન વિષ્ણુ સ્ક્રીન પર હોય છે ત્યારે તેમની ભુમિકા મહત્વની હોય છે.