News of Tuesday, 27th April 2021
કોરોના કહેરના લીધે 'સત્યમેવ જયતે 2' રિલીઝ મોકૂફ
મુંબઈ: કોવિડ ફાટી નીકળવાના કારણે જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ 'સત્યમેવ જયતે 2' ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક મિલાપ ઝવેરીએ મંગળવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર આની ઘોષણા કરી હતી. આ ફિલ્મ 13 મેના રોજ ઈદ પર રિલીઝ થવાની હતી, જે બોક્સ ઓફિસ પર સલમાન ખાનની 'રાધેય: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર થઈ હતી.
(5:56 pm IST)