ફિલ્મ જગત
News of Thursday, 27th January 2022

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કથકલી નૃત્યાંગના મિલેના સાલ્વિનીનું નિધન

મુંબઈ: પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રખ્યાત કથકલી નૃત્યાંગના મિલેના સાલ્વિનીનું નિધન થયું છે. મિલેના સાલ્વિનીએ 26 જાન્યુઆરીએ આ દુનિયાને અલવિદા કહ્યું. મિલેના સાલ્વિનીના નિધન પર સોશિયલ મીડિયા યુઝર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મિલેના સાલ્વિનીને યાદ કરીને ટ્વિટ કર્યું અને શોક વ્યક્ત કર્યો. મિલેના સાલ્વિનીએ બુધવારે અંતિમ શ્વાસ લીધા. તેણીનો જન્મ ઇટાલીમાં થયો હતો અને તે ફ્રાન્સની નાગરિક હતી. અભિનય ક્ષેત્રે તેમના યોગદાનના સન્માનના ચિહ્ન તરીકે ભારત સરકારે તેમને 2019 માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કથકલી ડાન્સર મિલેના સાલ્વિનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

(5:51 pm IST)