ફિલ્મ જગત
News of Thursday, 27th January 2022

રણવીર 'બેડ પર વધુ સમય લગાવે છે' લાંબા સમય સુધી શૌચાલયમાં પણ રહે છે

દીપિકા પાદુકોણે ખોલ્યા રણવીર સિંહના બેડરૃમ સિક્રેટ્સ

મુંબઇ, તા.૨૭ઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને બોલીવુડના સૌથી બહેતરીન કપલ માનવામાં આવે છે, જેઓ લગ્ન કર્યા પછી પોતાનું ઘર વસાવી ચૂકયા છે. બંનેના લગ્ન ઈટાલીમાં થયા હતા. લગ્નની ચર્ચાઓ વર્ષ ૨૦૧૮ના સૌથી મોટા સમાચારોમાં એક હતી. લગ્ન બાદ રણવીરની લાઈફ પણ સેટ થઈ ગઈ છે. કારણ કે તે હવે પતિ બની ગયો છે. લગ્ન બાદ દીપિકા અને રણવીર એકબીજા વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે. દીપિકાએ આ બધી વાતો શેર કરી છે કે તે એક પત્ની તરીકે કેવી છે. તેમજ દીપિકાએ બેડરૃમના રહસ્યો પણ શેર કર્યા હતા.

બન્યું એવું કે આ કપલ એક કાર્યક્રમમાં પહોંચ્યું હતું. હવે એવું ન થઈ શકે કે આ બંને કયાં જાય અને તેમના પર સવાલોનો વરસાદ ન થાય. કારણ કે દરેક વ્યકિત એ જાણવા માંગે છે કે લગ્ન પછી તેમના જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે. દીપિકા પાદુકોણે રણવીર સિંહના બેડરૃમના આવા દ્યણા રહસ્યો જાહેર કર્યા છે, જે જાણ્યા પછી તમને લાગશે કે રણવીર પણ આવો હોઈ શકે છે.

વાસ્તવમાં ઈવેન્ટમાં એક સવાલનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું કે જે સાંભળીને રણવીર પોતે પણ આશ્યર્યચકિત થઈ ગયો. જયારે દીપિકાને રણવીરની સ્ટાઈલ અને બ્યુટી સિક્રેટ્સ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, રણવીર લાંબો સમય સ્નાન કરે છે. વધુમાં, તેઓ લાંબા સમય સુધી શૌચાલયમાં પણ રહે છે. દીપિકાએ આગળ કહ્યું, 'તે પથારીમાં પણ ઘણો સમય વિતાવે છે. હવે આવી સ્થિતિમાં, દીપિકાની છેલ્લી લાઇન સાંભળતા જ ત્યાં હાજર દરેક વ્યકિત દંગ રહી ગયા. બધાને લાગ્યું કે અરે દીપિકાએ શું કહ્યું.

રણવીર પોતે દીપિકાના ચહેરા તરફ જોવા લાગ્યો અને વિચારમાં પડી ગયો. આ પછી દીપિકાએ પોતાની વાત સંભાળી અને કહ્યું કે, મારો મતલબ છે કે રણવીર જયારે બેડ પર સૂવા જાય છે ત્યારે પણ દ્યણો સમય વિતાવે છે. હવે જે પણ થાય લોકોને આ વાતની ખબર પડી ગઈ છે. જો કે, રણવીરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો દિવસ તેની પહેલી ચાથી શરૃ થાય છે.

(3:54 pm IST)