ફિલ્મ જગત
News of Wednesday, 27th January 2021

રોમાન્ટીક જાસૂસ થ્રિલરમાં કરિશ્મા અને અરૂણોદયસિંહ

ઓટીટી પ્લેટફોર્મ ઝી ફાઇવ દર્શકોને સતત નવું મનોરંજન આપે છે. હવે અહિ રોમાન્ટીક જાસૂસ થ્રિલર શો 'લાહોર કોન્ફિડેન્શિયલ' આવી રહ્યો છે. શોની ઘોષણા સાથે જ ઇન્ટરનેટ પર તે સતત ચર્ચાનો વિષય બન્યો છે. રોમાન્સ, થ્રિલર, એકશન, કવિતા અને દેશભકિતની ભાવના સાથેના આ શોનું લેખન ક્રાઇમ લેખક હુસેન જૈદીએ કર્યુ છે. થ્રિલર પૃષ્ઠભુમિની સાથે પ્રેમકહાની પણ છે. કૃણાલ કોહલી નિર્દેશક તરીકે આ શોથી કમબેક કરશે. કરિશ્મા તન્ના, ઋચા ચઢ્ઢા અને અરૂણોદય સિંહની ત્રિપુટી મુખ્ય ભુમિકામાં છે. ચોથી ફેબ્રુઆરીએ લાહોર કોન્ફિડેન્શિયલનો પ્રિમિયર છે. બે જાસૂસની સમકાલિન, સુરૂચીપુર્ણ અને રોમાંચકારી પ્રેમકહાની એક બીજા સાથે કઇ રીતે યુધ્ધની સ્થિતિમાં પહોંચાડી દે છે તે જોવા મળશે. આ ફિલ્મમાં ઓલ્ડ સ્કૂલ રોમાન્સ, દેશભકિત અને રોમાંચની ભાવના છે. અરૂણોદયસિંહ અગાઉ અપહરણ જેવી હિટ સિરીઝમાં અને કરિશ્મા તાજેતરમાં  આવેલી બૂલેટ્સમાં એકશન રોલ ભજવી ચુકી છે.

(10:12 am IST)