નેગેટિવ પાત્રએ નિશાદ વૈદ્યને આપી નવી દિશા
પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા, ભાગે રે મન, અમિતા કા અમિત સહિતના શો થકી જાણીતો બનેલો અભિનેતા નિશાદ વૈદ્ય હાલમાં ઝી ટીવીના શો કુરબાન હુઆમાં આલેખ નોૈતિયાલનો રોલ ભજવી રહ્યો છે. આ નેગેટિવ પાત્ર છે. નિશાદ કહે છે નેગેટીવ રોલ નિભાવીને મુખ્ય અભિનેતા પ્રત્યેનો મારો અભિગમ બદલઇા ગયો છે. મેં ૨૦૧૩માં મુખ્ય અભિનેતા તરીકે અભિનયની શરૂઆત કરી હતી. એ પછી ૨૦૧૬માં અન્ય પાત્ર ભજવ્યું હતું. આ બીજા પ્રોજેકટ પછી મારે ચાર વર્ષ ટીવી પરદાથી દૂર રહેવું પડ્યું હતું. કારણ કે મને સારા પાત્રોની ઓફર જ નહોતી મળતી. ૨૦૨૦માં મને કુરબાન હુઆ માટે આલેખનું પાત્ર મળતાં જ મેં હા કહી દીધી હતી. ત્યારે હું મુંબઈ શિફટ થઇ ગયો હતો. આ નેગેટીવ રોલ ભજવ્યા પછી મને નવી દિશા મળી ગઇ હતી, મને અહેસાસ થયો કે શો દરેક પાત્રોથી ચાલે છે, માત્ર મુખ્ય અભિનેતાથી નહિ. મેં અલગ પાત્રો ભજવવા માટે ક્રાઇમ આધારીત શો પણ કર્યા છે. પણ પહેલી વાર જ્યારે નેગેટિવ પાત્ર ભજવ્યું ત્યારે મને ખૂબ જ મજા આવી હતી.