અત્યારનો સમય મારી કારકિર્દીનો બેસ્ટ છે: અર્જુન કપૂર
મુંબઇ: હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે અત્યારે મારી કારકિર્દીનો બેસ્ટ તબક્કો ચાલી રહ્યો છે. મારી એક કરતાં વધુ ફિલ્મો અત્યારે બની રહી છે. હાલ અર્જુન પાસે ત્રણ-ચારેક ફિલ્મો તો જગજાહેર છે. આશુતોષ ગોવારીકરની પાણીપત ઉપરાંત સંદીપ ઔર પિન્કી ફરાર, નમસ્તે ઇંગ્લેંડ અને ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ જેવી ફિલ્મો છે. એણે કહ્યું કે હવે હું મેચ્યોર પાત્રો ભજવતો થયો છું અને ટોચના ફિલ્મ સર્જકો સાથે કામ કરી રહ્યો છું. 'મારી કારકિર્દીનો અત્યારે બેસ્ટ સમય ચાલી રહ્યો છે. આશુતોષ ગોવારીકર જેવા ટોચના ફિલ્મ સર્જકે મને પાણીપત માટે પસંદ કર્યો એ મારા માટે ગૌરવની અને ઉત્તેજિત થઇ જવાની ઘટના છે. શ્રેષ્ઠ કલાકારો અને કસબીઓ સાથે કામ કરવા મળે ત્યારે તમારી કારકિર્દી જુદી ઊંચાઇ મેળવતી હોય છે. અત્યારે મારો એવો સમય ચાલી રહ્યો છે જ્યારે હું ઉત્તમોત્તમ લોકો સાથે કામ કરી રહ્યો છું' એમ અર્જુન કપૂરે કહ્યુ ંહતું. તાજેતરમાં એણે વિપુલ શાહની નમસ્તે ઇંગ્લંેડ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં એની સાથે પરિણિતી ચોપરા ચમકી રહી છે. ટૂંક સમયમાં એ રાજકુમાર ગુપ્તાની ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ શરૃ કરશે.