નિષ્ફળતામાંથી જ શીખ મળેઃ શાલિની
મધ્યપ્રદેશની શાલિની પાંડેએ અભિનય કારકિર્દી ૨૦૧૭માં અર્જુન રેડ્ડીથી શરૂ કરી હતી. એ પછીના વર્ષમાં હિન્દી ફિલમ મેરી નિમ્મો આવી હતી. જો કે તેણે તેલુગુ, તમિલ ફિલ્મો વધુ કરી છે. છેલ્લે તે બોલીવૂડમાં બમફાડ અને જયેશભાઇ જોરદાર જેવી ફિલ્મો કરી હતી. હવે તે મહારાજામાં જોવા મળવાની છે. જો કે ફિલ્મોમાં આવી એ પહેલાના વર્ષે ટીવી પરદે મન મેં હૈ વિશ્વાસ અને ક્રાઇમ પેટ્રોલ જેવા શો કર્યા હતાં. તે કહે છે રણવીરસિંહ સાથે જયેશભાઇ જોરદાર કરી ત્યારે લાગ્યું કે આવી મોટી ફિલ્મથી મને એન્ટ્રી મળી છે. પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહોતી. અનુભવ ભલે કઠિન રહ્યો પણ નિષ્ફળતામાંથી મુલ્યવાન શીખ મળે છે એ ભુલી શકાય નહિ. હું નસિબદાર છું કે હિન્દી સિનેમામાં મને આ રીતે એન્ટ્રી મળી છે. એ પહેલા સાઉથમાં હું આમથી તેમ રખડતી હતી. હું ઇચ્છુ છું કે મારી ફિલ્મ બધા લોકો જુએ. બોક્સ ઓફિસનીસફળતાથી જુસ્સો વધે છે.