આ વાતનો સતત વસવસો છે સુધાને
ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રને વર્ષ ૧૯૮૬માં આવેલી ફિલ્મ નાચે મયુરી દ્વારા અભિનયની કારકિર્દી આરંભી હતી. પરંતુ એ પછી તેને બહુ વધુ ફિલ્મો મળી શકી નથી. સુધા ટીવી પરદાને કારણે ઘર ઘરમાં લોકપ્રિય બની છે. તે કહે છે મને લોકો અવાર નવાર પુછ્યા કરે છે કે તમે કેમ કોઇ ફિલ્મ નથી કરતાં. સુધા કહે છે મને ફિલ્મ ઓફર જ નથી થતી. સુધા વસવસો વ્યક્ત કરીને કહે છે કે મને ફિલ્મોની ઓફર હવે શા માટે નથી થતી તે અંગે હું જાણતી નથી. મને આ બાબતનું આヘર્ય પણ રહે છે. પતિ પરમેશ્વર, થાનેદાર, માલામાલ વિકલી સહિતની ફિલ્મોમાં સુધાએ કામ કર્યુ હતું.જો કે ટીવી શોએ તેને ઓળખ આપી છે. સુધા કહે છે આજની ફિલ્મોમા સુંદર વાર્તાઓ પણ હોય છે અને દર્શકો તેની સાથે જોડાઇ પણ જતાં હોય છે. આવી ફિલ્મો લોકો પર જબરદસ્ત અસર છોડી જાય છે. ફિલ્મોની શૈલી ઉત્તમ હોય એ જરૂરી છે. હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો શ્રેષ્ઠ તબક્કો છે.