કંગનાના વખાણ કર્યા વિજયએ
તમિલનાડુના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા હમેંશા દેશભરમાં લાખો દિલોમાં રાજ કરનારા રાણીના રૂપમાં આજે પણ જાણીતા છે. તેમના પરથી એક બાયોપિક ફિલ્મ 'થલાઇવી' બની રહી છે. કંગના રનોૈત આ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. થલાઇવી ટીમ આ ફિલ્મ થકી મોટી શ્રધ્ધાંજલિ આપવા ઇચ્છે છે. ફિલ્મના દ્રશ્ય પ્રોમો અને અરવિંદ સ્વામિના એમજીઆરના રૂપને કારણે ફિલ્મને વધુ ઉંચાઇ મળી છે. નિર્માતાઓએ કંગનાના વધુ એક નવો લૂક જાહેર કર્યો છે. જેમાં તે જયલલિતાના રાજનેતા તરીકેના લૂકમાં છે. આ લૂક સોમવારે ૨૪મીએ જયલલિતાની ૭૨મી જયંતિએ લોન્ચ કરાયો હતો. નિર્દેશક વિજયના કહેવા મુજબ મેડમ જયલલિતા અસંખ્ય લોકો માટે પ્રેરણા હતાં. કંગના રનોૈત આ ફિલ્મમાં સંપુર્ણ રીતે પોતાની ભુમિકામાં સમર્પિત થતાં હું તેને પણ અભિનંદન આપુ છું. આ ફિલ્મના નિર્માતા વિષ્ણુ વર્ધન ઇન્દુરી, શૈલેષ આર. સિંહ છે. થલાઇવી તમિલ ઉપરાંત હિન્દી, તેલુગુ ભાષામાં એક સાથે રિલીઝ થશે.