એસપી બાલાસુબ્રહ્મણ્યમને સુપરસ્ટાર રજનીકાંતે આપી શ્રદ્ધાંજલિ : કહ્યું "100 વર્ષ પછી પણ તેમના ગીતો આપણા કાનમાં ગુંજતા રહશે "
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંત શુક્રવારે તેમના સોશ્યલ મીડિયામાં ગાયક-અભિનેતા એસપી બાલાસુબ્રહ્મણ્યમને શ્રદ્ધાંજલિ આપી છે અને તેની સાથે એક વીડિયો સંદેશમાં રજનીકાંતએ કહ્યું કે, “આજે સૌથી દુ :ખદ દિવસ છે. એસપી બાલાસુબ્રહ્મણ્યમ અંતિમ ક્ષણ સુધી તેમના જીવન માટે લડ્યા બાદ વિદાય લીધી છે. તેમના નિધનથી મને ખૂબ પીડા અને આઘાત લાગ્યો છે. ભારતમાં કોઈ નહીં હોય, જે તેમના ગીતોનો ચાહક ન હોય. જે લોકો તેને વ્યક્તિગત રૂપે ઓળખતા હતા તેઓ તેમના ગીતો કરતા તેને વધારે ચાહતા હતા. તે તેની માનવતાને કારણે હતું. ” “100 વર્ષ પછી પણ, તેના ગીતો આપણા કાનમાં વાગતા રહેશે, પરંતુ તે અવાજનો માલિક અમારી વચ્ચે રહેશે નહીં. અને તે હકીકતથી ઘણી પીડા થાય છે. તેમના આત્માને શાંતિથી મળે તેવી પ્રાર્થના. ”