કરણ જોહર સાથે ફિલ્મ કરવું મારા માટે સૌભાગ્યની વાત છે: ભૂમિ પેડણેકર
મુંબઈ:હોનહાર અભિનેત્રી ભૂમિ પેડણેકરે કહ્યું હતું કે હજુ તો મારી કારકિર્દી શરૃ થઇ છે. ત્યાંજ મને ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ મળે એને હું મારું પરમ સદ્ભાગ્ય ગણું છું.ભૂમને તાજેતરમાં કરણ જોહરની તખ્ત ફિલ્મ માટે સાઇન કરાઇ હતી. આ ફિલ્મમાં કરીના કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંઘ, વીકી કૌશલ, જાન્હવી કપૂર અને અનિલ કપૂર જેવા ધુરંધર કલાકારો સાઇન થયા છે. આ એક ઐતિહાસિક ફિલ્મ છે જેમાં ઐારંગઝેબ અને એના ભાઇ દારા શિકોહની કથા વણી લેવામાં આવી છે.ભૂમિએ કહ્યું કે કરણ જોહરની ફિલ્મ મને ક્યારેક કરવા મળે એવું મારું સપનું હતું. પરંતુ હજુ તો મારી કારકિર્દી શરૃ થઇ રહી છે એટલે અ તબક્કે મને એમની ફિલ્મ મળશે એવી તો મેં સ્વપ્નેય કલ્પના કરી નહોતી. હું ખરેખર મારી જાતને લકી માનું છું કે મને ધર્મા બેનરની ફિલ્મ મળી જેમાં હું આ ટોચના કલાકારો સાથે કામ કરીશ.આયુષમાન ખુરાના સાથે દમ લગા કે હૈશા જેવી ફિલ્મથી કારકિર્દી શરૃ કરનારી ભૂમિએ તાજેતરમાં અક્ષય કુમાર સાથે ટેાયલેટ એક પ્રેમકથા જેવી ફિલ્મ કરી હતી.