હવે ભપકાદાર લગ્ન સમારોહ થતાં નથીઃ રીના
ટીવી શો રંજૂ કી બેટીયામાં રંજૂનો મુખ્ય રોલ નિભાવી રહેલી અભિનેત્રી રીના કપૂર કહે છે હાલની ટીવી સિરીયલોમાં પહેલા જેવા ભપકેદાર લગ્ન સમારોહ જોવા મળતાં નથી. દંગલ ચેનલના શોની અભિનેત્રી રીના કહે છે કે સિરિયલોમાં પહેલાં જે રીતે ભવ્ય લગ્ન સમારોહના સીન્સ જોવા મળતા એ હવે નથી જોવા મળતા અને કદાચ નજીકના ભવિષ્યમાં પણ નહીં જોવા મળે, આનું કારણ કોરોના છે. તાજેતરમાં સિરીયલમાં રંજૂની સૌથી મોટી દીકરી શાલુ (મોનિકા ચૌહાણ)નાં લગ્નના દ્રશ્યોનું શુટીંગ થયું હતું. તેને લઇને રીનાએ આ વાત કરી હતી. તે કહે છે પહેલાં તો લગ્નના સીન માટે તૈયારીઓ જોરશોરથી ચાલતી, મહેંદી, સંગીત વગેરેનાં અલગ ફંકશન યોજાતાં. હવે આવું થતું નથી. રીના કહે છે અમારા શોના લગ્ન પ્રસંગના દ્રશ્યોના શુટીંગનો સોૈથી મોટો પડકાર એ હતો કે ધોમધખતા તડકામાં શુટીંગ કરવાનું હતું અને મેકઅપ ન બગડે તેનો ખાસ ખ્યાલ રાખવાનો હતો.