ફિલ્મ જગતના સુશાંતસિંહ રાજપુતના આપઘાતની ઘટના હજુ તાજી છે ત્યાં ટીકટોક સ્ટાર સિયા કક્કરે આપઘાત કરી લીધો
મુંબઇઃ ભારતના મનોરંજક જગતમાં સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુની કળ હજુ વળી નથઈ ત્યાં વધુ એક માઠા સમાચાર આવ્યા છે. માત્ર 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે ગુરૂવારનાં રોજ આત્મહત્યા કરી જીવન ટુંકાવી લીધું. તેણે શા માટે આત્મહત્યા કરી તેની પાછળનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. પોલીસ તપાસ કરી રહી છે.
સિયાએ શા માટે અંતિમ પગલું ભર્યું, સમજાતુ નથીઃ મેનેજર
મળતી જાણકારી અનુસાર ગઇ રાત્રે જ એક ગીતને લઇને સિયાનીએ પોતાનાં મેનેજર અર્જુન સરીન સાથે વાત કરી હતી. અર્જુને જણાવ્યું કે, “સિયા બિલકુલ ઠીક હતી અને પરેશાન પણ ન હોતી લાગી રહી પરંતુ તેઓને પણ સમજણ નથી પડી રહી કે આખરે સિયાએ આવું પગલું કેમ ભર્યું.”
5 દિવસ પહેલાં જ એક વીડિયો શેર કર્યો હતો
સિયાએ 5 દિવસ પહેલાં જ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો ડાન્સ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તેને એક દિવસ પહેલાં જ એટલે કે ગઇ કાલે જ આ વીડિયોને પોતાની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર સિયાનાં 91 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.
ફેન્સને વિશ્વાસ નથી થઇ રહ્યો
સિયાની આત્મહત્યાનાં સમાચાર બાદ તેનાં ફેન્સને પણ એ વિશ્વાસ નથી થઇ રહ્યો કે આખરે તેને આ પગલું કેમ ઉઠાવ્યું? તેનાં ફેન્સ પણ સતત કોમેન્ટ કરીને સિયાની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.