30મેના રિલીઝ થશે 'સંજુ'નું ટ્રેલર
મુંબઇ : સુપરહિટ સિરિઝ મુન્નાભાઇના સર્જક રાજકુમાર (રાજુ) હીરાણી સર્જિત ફિલ્મ સંજુનું ટ્રેલર ૩૦મી મેએ રજૂ કરવાની ઐાપચારિક જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. સંજય દત્ત સાથે મુન્નાભાઇ સિરિઝની ફિલ્મો કરતા હતા ત્યારે જ હીરાણીને સંજય દત્તની ચડતી પડતીની વાતો સ્પર્શી ગઇ હતી. સંજય પૂણેની યરવડા જેલમાં હતો ત્યારે હીરાણીએ એની સાથે ફોન અને પત્રવ્યવહાર દ્વારા જોઇતી માહિતી મેળવી હતી અને ત્યારબાદ સંજય દત્તની બાયો-ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને પણ કહ્યુ ંહતું કે મને હીરાણીની સ્ક્રીપ્ટ ખૂબ ગમી હતી અને મારે સંજય દત્તનો રોલ કરવો હતો પરંતુ હીરાણીએ મને સુનીલ દત્તનો રોલ ઑફર કરતાં વાત જામી નહોતી. ત્યારબાદ ટોચના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ આ ફિલ્મ અને એના હીરો રણબીર કપૂરને મોકળા મને બિરદાવ્યો હતો. રિશિ કપૂર ેપણ પહેલીવાર જાહેરમાં પોતાના પુત્રના અભિનયની પ્રશંસા કરી હતી.આમ આ ફિલ્મે બોલિવૂડમાં સારી એવી ઉત્કંઠા જગાડી હતી. હવે એનું ટ્રેલર ૩૦મી મેએ રજૂ કરવાની જાહેરાત હીરાણી કેમ્પ તરફથી કરવામાં આવી હતી.