ફિલ્મ જગત
News of Friday, 25th May 2018

ચાર વર્ષ પછી સાથે આવી રહ્યા છે કૃણાલ અને ઇમરાન

જન્નત ફિલ્મની સફળતાના દસવર્ષ પછી નિર્દેશક કૃણાલ દેશમુખ અને અભિનેતા ઇમરાન હાસમી ફરી સાથે આવી રહ્યા છે. જન્નત પછી આ બંનેએ ચાર વર્ષ પહેલા રાજા નટવરલાલ પણ બનાવી હતી. જો કે એ ફિલ્મ સફળ નિવડી નહોતી. નવી ફિલ્મને સન ઓફ સરદારના નિર્માતા એન.આર. પચીસીયા અને ખુદ ઇમરાન હાસમી પ્રોડ્યુસ કરશે. કહાની નેશનલ એવોર્ડ વિજેતા રાઇટર શ્રીધર રાઘવન લખશે. ચાર વર્ષથી ઇમરાન અને કૃણાલ એક સારી કહાનીની રાહમાં હતાં. હવે આ કહાની મળી ગઇ છે. કૃણાલ અને ઇમરાન બંનેને શ્રીધરની કહાની, વિષય અને પાત્રો ખુબ પસંદ પડ્યા છે. કૃણાલે કહ્યું હતું કે આ એવી ફિલ્મ બનશે જે દર્શકોને સીટ પર જકડી રાખશે.

(9:44 am IST)