ફિલ્મ જગત
News of Friday, 25th May 2018

ફરીથી નિર્માતા બનશે સંજુબાબા

અભિનેતા સંજય દત્ત ફરીથી નિર્માતા બનવા તૈયાર થયો છે. ૫૮ વર્ષિય સંજુબાબાએ છેલ્લે ૨૦૧૧માં રાસ્કલ નામની ફિલ્મ બનાવી હતી. આગામી એક જૂનના દિવસે તેના માતા નરગીસનો જન્મ દિવસ છે. સંજય દત્ત આ દિવસે જ એક ફિલ્મ નિર્માણનું કામ શરૂ કરશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ 'પ્રસ્થાનમ'ની હિન્દી રિમેક છે. પ્રસ્થાનમ ખુબ મોટી હિટ સાબિત થઇ હતી. વિવેચકોએ પણ ખુબ વખાણી હતી. તેમજ ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતાં અને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નામના મળી હતી. આ ફિલ્મ પારિવારીક ડ્રામા છે. જેની પૃષ્ઠભૂમિ રાજકારણ છે. સંજય દત્ત મુખ્ય રોલ નિભાવશે. તેની સાથે અલી ફઝલ છે. ફિલ્મનું નિર્દેશન દેવા કટ્ટા કરશે. તેણે જ મુળ ફિલ્મ પ્રસ્થાનમ નિર્દેશીત કરી હતી. બીજા કલાકારોની ઘોષણા હવે પછી થશે.

(9:43 am IST)