ફિલ્મ જગત
News of Monday, 25th March 2019

11 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર ફરી સાથે નજરે પડશે કાજોલ-અજય

મુંબઈ: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ તનાજી: અનબોર્ન વોરિયર વર્ષે નવેમ્બરમાં રજૂ થવાની જગ્યાએ હવે ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થશે. અભિનેતા-નિર્માતા અજય દેવગને રવિવારે ટ્વિટ  કર્યું કે મારી સાથે 2020નું  નવું વર્ષ શરૂ કરો કારણ કે તનાજી ... 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.તનાજી: અનબોર્ન વોરિયર શિવાજીની સૈન્યના સૈનિક તનજી માલસુરેના જીવન પર આધારિત છે. ફિલ્મ દ્વારા અજય દેવગન અને તેની પત્ની અને અભિનેત્રી કાજોલ 11 વર્ષ પછી ફરીથી સ્ક્રીન પર આવી રહ્યા છે. છેલ્લે 2008 માં તેઓ યુ મી અને હમ સાથે મળી આવ્યા હતા.

(5:48 pm IST)