હું મારી જાતને નસિબદાર સમજુ છું: પરિણિતી ચોપડા
પરિણિતી ચોપડાને પાછલુ વર્ષ ઘણુ ફળ્યું છે. નવા વર્ષમાં તે સતત નવા કામમાં વ્યસ્ત છે. હાલમાં તે થોડી અલગ ફિલ્મો કરી રહી છે. પરિણીતીએ કહ્યું હતું કે ભારતીય સિનેમાના કેટલાક જિનીયસ સાથે કામ કરવા મળ્યું એ મારા માટે નસિબની વાત છે. તે હાલમાં રિયાલીટી શોમાં પણ નિર્ણાયક તરીકે જોવા મળી છે. દરેક એકટરને એવા લોકો સાથે કામ કરવું હોય છે જે તેમને વધુ સારા બનવા માટે પ્રેરિત કરે. આદિત્ય ચોપડા, રોહિત શેટ્ટી, મનીષ શર્મા, દિબાકર બેનરજી, અમોલ ગુપ્તે, હબીબ ફૈઝલ, વિનિલ મેથ્યુ, અનુરાગ સિંહ અને રિભુ દાસગુપ્તા જેવા નિર્દેશક સાથે કામ કરી હું અત્યંત ખુશ છું. આ સફરની હું કદી કલ્પના પણ કરી શકતી નથી. પરિણીતી હવે રણબીર કપૂર સાથેની એનિમલમાં અને અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઇરાને સાથે ઉંચાઇમાં મહત્વના રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યા બનાવી રહ્યા છે. પરિણિતી કહે છે તેમના નિર્દેશનમાં કામ કરવા મળ્યું એ માટે હું મારી જાતને નસિબદાર સમજુ છું.