વર્ષો પછી યશ ટોંક ફરી ટીવી પરદે
સોની ટીવી પર વધુ એક નવો શો 'કયોં ઉત્થે દિલ છોડ આયે' આવીર હ્યો છે. આ શોમાં જાણીતો કલાકાર યશ ટોંક ખાસ ભુમિકા નિભાવી રહ્યો છે. ખુબ લાંબા સમય પછી તે ટીવી પરદે પાછો આવ્યો છે. શોમાં તે વિજ કિશોર સહાની નામનું પાત્ર ભજવી રહ્યો છે. યશે કહ્યું હતું કે આ પાત્ર ખુબ અલગ છે. આ એવું પાત્ર છે જે પોતાની પત્નિના મોત પાછળ કયાંક ને કયાંક પુત્રને જવાબદાર ગણે છે. પત્નિને પોતે ખુબ પ્રેમ કરતો હતો. એ દૂર્ઘટનામાં તેણે પોતાનો હાથ પણ ગુમાવ્યો હોય છે. યુવાન દિકરાને પિતા સાથે મનમેળ થતો નથી. પિતાની ઇચ્છા હોય છે કે પુત્ર મોટો વેપારી બને. પરંતુ બંને વચ્ચે બધુ ઠીક હોતું નથી. લાંબા સમય પછી મને આવું પડકારજનક પાત્ર ઓફર થતાં જ મેં હા કહી દીધી હતી. આ શોમાં ૧૯૪૭નો સમયકાળ દેખાડવામાં આવશે. આ કારણે આ શો બનાવવો પણ મુશ્કેલ હતો. ટીવી પરદે આવો કોઇ શો આવ્યો નથી. અમે એ સમયની ભાષા અને બોલીનો પણ ઉપયોગ કર્યો છે. લાલાનું પાત્ર ભજવવા મારે સુંદર પાઘડી, લુંગી, ઝભ્ભો અને મોજડી પહેરવાના હતાં. લાંબો સમય આ પરિધાન પહેરી રાખવા પડતાં હતાં.