ફિલ્મ જગત
News of Thursday, 24th September 2020

મનોજ કહ્યું-એવું ન પુછો જેની સાથે અમારે સંબંધ ન હોય

અભિનેતા મનોજ બાજપાઇ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ કામ ચુકી ચુકયો છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે એકટર્સને એવા સવાલો કદી પણ પુછવા ન જોઇએ જેની સાથે તેઓને કંઇ લેવાદેવા ન હોય. બોલીવૂડના અભિનેતા અને અભિનેત્રીઓને હમેંશા એવું પુછાય છે જેની સાથે તેઓને કંઇ સંબંધ ન હોય. જો તમે એમ કહો કે અમે માત્ર એકટર્સ છીએ અને તમે ટ્વિટર પર ટ્રોલ કરો છો, તો એટલુ કહેવું જરૂરી છે કે અમારા વિચારો પણ તમારે જાણવા જોઇએ. તમે અમારી પાસેથી ઇકોનોમી કે પછી બીજા કોઇ વિષયો જેમ કે ભારત કે ચીન વિશે જાણવા માંગતા હો તો એની માહિતી અમારી પાસે નથી. હું કઇ રીતે બધા જ સવાલોનો સંતોષકારક જવાબ આપી શકું? અમને દરેક વિષય પર બોલવા હેરાન કરવા એ યોગ્ય નથી. અમને એકટર જ રહેવા દો. જો કોઇ ખોટુ કરે તો ચોક્કસ નિંદા કરજો. પરંતુ એવા સવાલો ન કરો જે અમારા સંબંધીત ન હોય.

 

(9:37 am IST)