લક્ષ્મીબાઇ-ઝાંસી કી રાની... શો આવતા મહિનાથી થશે બંધ
કલર્સ ચેનલ પર ફેબ્રુઆરીથી ચાલી રહેલો શો 'લક્ષ્મીબાઇ-ઝાંસી કી રાની'ના ચાહકો માટે ખરાબ વાવડ છે. આ શોને ટીઆરપી મળતી ન હોવાથી ગમે ત્યારે બંધ કરી દેવાનું નિર્માતા વિચારી રહ્યા છે. આ મહિનામાં જ શોને પુરો કરી નાંખવામાં આવે તેવી શકયતા છે. છેલ્લા દિવસોથી શોની ટીઆરપી ખુબ નીચે ઉતરી ગઇ છે. આથી એવી અટકળો શરૂ થઇ છે કે શો જુલાઇમાં બંધ થઇ જશે. આ સિરીયલમાં અનુષ્કા સેનએ ઝાંસીની રાણીનું પાત્ર ભજવ્યું હતું. અનુષ્કાએ શોમાં ખુબ સારો અભિનય કર્યો છે. આ ઉપરાંત વિકાસ મનકતલા અને અનુજા સાઠે પણ છે. સતત નીચે જઇ રહેલી ટીઆરપીને કારણે નિર્માતા પરેશાન થયા છે. જો શોના રેટીંગમાં સુધારો નહિ થાય તો શો આવતા મહિને બંધ કરી દેવામાં આવે તેવી શકયતા છે. ઉલ્લેખનિય છે કે શો શરૂ થયો ત્યારથી જ ટીઆરપીના લિસ્ટમાં સતત પાછળ રહ્યો છે. એકપણ વખત ટીઆરપીમાં સારી પોઝિશન મળી નથી. આથી હવે ૨૪ જુલાઇએ શો બંધ થાય તેવી ચર્ચા છે.